ટ્રસ્ટ પોતે કોઈ વસ્તુ નું ઉત્પાદન નથી કરતું. પણ બહેનો પોતાની રોજગારી સ્વાવલંબન અને હુન્નર વિકસાવી શકે તે હેતુ થી મહિલા મંડળ દ્વારા વિવિધ કામો કરાય છે. જેમાં અંબર ચરખાની તાલીમ અપાવી સાથીસંસ્થા સાથે જોડાણ કરી બહેનોને મંડળ મારફતે મદદ કરાય છે–વગર વ્યાજની લોનથી અંબર ચરખા-ગાય– ગૃહઉદ્યોગો-ગ્રામઉદ્યોગો-હસ્તકળા વગેરેમાં તાલીમને લોન અપાય છે.SBI બેંન્કની આરસીટી યોજના અંતર્ગત ગ્રામીણ બહેનોને તાલીમ-સર્ટિફિકેટ-ઓછા વ્યાજદરની બેંન્કલોનથી મદદ કરાય છે.
પૌષ્ટિક ભોજનને વ્યવસાયની દ્રષ્ટિ એ આગળ વધારવા મંડળ તરફથી સાધન સહાય–ભોજનમેળા–ફૂડફેસ્ટિવલ–દ્વારા તેમણે વ્યવસાયલક્ષી અનુભવોને ગુણોના વિકાસનું કામ કરવમાં આવે છે. મંડળ દ્વારા મહિલા રોજગાર ઉપરાંત મહિલા આરોગ્ય અને જાગૃતિનું કામ પણ કરાય છે.
કામકાજી આરોગ્ય ને લગતી બાબતોમાં તેમને સાવધાન કરી સજાગ કરવાનું બને છે. કચરો વીણતી બહનોમાં આ અંગે વિશેષ સફળતા મળી છે. અનાજની લોન મારફત તેમણે પોસ્ટીકતાને આહાર સબંધી બાબતોમાં જાગ્રત કરાય છે.આ રીતે શહેરીને ગ્રામીણ મહિલાઓ સાથે સર્વોદય સ્વાવલંબન મહિલા મંડળ અસરકારક ભૂમિકા નિભાવી રહી છે.