કોઈપણ કુદરતી હોનારતમાં મનુષ્ય આર્થિક, શારિરીક અને માનસિક રીતે નુકશાન પમતો હોય છે. સાથે સાથે સંવેંદનાની રીતે પણ ભાંગી પડતો હોય છે, આવી સ્થિતિમાં સરકાર કે સમાજ મારફતે મળતી મદદ ઘણી મહત્વપૂર્ણ હોય છે. જીવન માંગલ્ય ટ્રસ્ટે સ્વતંત્ર રીતે અને સાથી સંસ્થાઓ સાથે રહિને રાષ્ટ્રીય કક્ષાના આપદા પ્રબંધનના કર્યો કાર્ય છે જેમા...
- 1) કરછ નો ભૂકંપ – 2000
- 2) તમિલનાડુ ત્સુનામિ – 2005
- 3) એલોસી કશ્મિર ભૂકંપ – 2006
- 4) ઓરીસ્સા સાયક્લોન
- 5) સુરત ફલ્ડ – 2006
આ જુદી જુદી હોનારતોમાં જીવન માંગલ્ય ટ્રસ્ટે NGO સંકલન નું કાર્ય કર્યું તથા એરિઆસર્વે, ડેટા કલેક્શન, માહિતીનું પ્રુથકરણ, પ્રસાર માધ્યમોને યોગ્ય માહિતી પહોચાડી, સરકારી વિભાગો સાથે સંકલન કર્યુ, દાતા અને સ્વયંમસેવકો ને માર્ગદર્શન આપ્યુ, શાળા-કોલેજો પાસેથી સીધુ કામ લીધુ, માનસિક રીતે ઘવાયેલા અસરગ્રસ્ત લોકોનું ટ્રોમાકાઉસલિંગ કર્યુ, બાળકો – મહિલાઓ – વિકલાંગો – વ્રુદ્ધો માટે અગ્રિમતા પુર્વક કાર્ય થાય તેમાટે દાતાઓ અને સરકારી વિભગો ને સજાગ કરવાનું કાર્ય કર્યુ.
અસરગ્રસ્તો ને ભેદભાવ વગર મદદ મળે તે માટે હિમાયત કરી. આફત નિવારણ માટેની તાલીમ કાર્યક્રમો માટે ના મોડેલો બનાવવા માટે મદદ કરી અને તે માટેના સાહિત્ય સર્જનમા મહત્વની ભૂમિકા નિભાવી, આ સાહિત્ય મારફતે વિદ્યાર્થિઓ તથા શહેરી – ગ્રામીણ નાગરિકોને વિવિધ માધ્યમોથી જાગૃત કર્યા. ભૂકંપ રહિત ભવન નિર્માણ માટે કારિગરો ને તાલીમ આપવાની મહત્વની ભૂમિકા ભજવી.