બાળક ની પ્રક્રુતિ અને તેના સાંસ્કૃતિક ઉછેર ને ધ્યાનમા રાખીને તેના મૌલિક શિક્ષણ નો અભ્યાસ ક્રમ એવો ઘડાવવો જોઈએ જેમા તેના ઈંદ્રિઓના વિકાસ સાથે બૌધિક વિકાસ થવો જોઈએ, તે વાત ને દુનિયાના અનેક ચિંતકોએ સ્વિક્રુતિ આપી છે. ગાંધીજીએ આ શિક્ષણ પદ્ધતીનું નામ “નઈ તાલીમ” આપ્યુ હતુ. 1920 મા તેમણે ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કરી હતી.
જીવન માંગલ્ય ટ્રસ્ટે ઉત્તરાખંડ, ગુજરાત અને કાશ્મીર ના બાળકો સાથે વિવિધ પ્રયોગો કરી બાળકો, વાલીઓ અને શિક્ષકોને આ દિશામાં સંવેદનશીલ બનાવ્યા છે તથા આ બાળકોએ સરકારી મુખ્ય ધારા ના શિક્ષણ પ્રવાહમાં સફળતા પ્રાપ્ત કરી છે B.Ed. અને PTC ના વિદ્યાર્થિઓ ને તાલીમ આપવાનુ કાર્ય પણ જીવન માંગલ્ય ટ્રસ્ટે કરેલું છે.